સમાજના ઉદાત્ત યોગદાનથી ભવિષ્યનું નિર્માણ – રમેશભાઈ પટેલનું પ્રેરણાદાયી કાર્યો પરિચય: સમાજ માટે કોઇ એક વ્યક્તિનું યોગદાન કેવળ એક દાન નથી, પરંતુ તે સમાજની આગવી ઓળખ અને એકતા માટે મજબૂત પાયાનું કામ કરે છે. 'દિશા' ધોડિયા સમાજના શ્રી રમેશભાઈ પટેલે (મું.પો. પુના, જિ. સુરત) દ્વારા ભવિષ્યના નિર્માણ માટે ₹50,222નું દાન આપીને જે ઉદારવૃત્તિ દર્શાવી છે, તે આખા સમાજ માટે ગૌરવની ક્ષણ છે. આ યોગદાનનું મહત્વ: સમાજ ભવનનું નિર્માણ ફક્ત ઈમારતનું નિર્માણ નથી, તે તો આવનારી પેઢી માટે સાંસ્કૃતિક વારસો છે. ભવિષ્યમાં અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સામૂહિક સંમેલનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાશે, જે સમાજને આગળ વધવામાં મદદરૂપ બનશે. રમેશભાઈ પટેલ – ઉદારતા અને પ્રેરણાનું ઉદાહરણ: શ્રી રમેશભાઈ પટેલ, એક રિટાયર્ડ શિક્ષક હોવા છતાં, સમાજ માટે સતત પ્રેરણારૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના દ્વારા આપવામાં આવેલ આ યોગદાન ફક્ત આર્થિક નહીં, પણ ભાવનાત્મક અને પ્રેરણાત્મક છે. આ દાન અને સમર્પણ દ્વારા સમસ્ત સમાજને પ્રગતિના પથ પર આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે. પારિવારિક સહયોગ અને સમર્પણ: રમેશભાઈ અને તેમના પરિવારના સહયોગથી આ કા...
વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય. ખેરગામ |તારીખ :30-11-2024 શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા. શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું. અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ ...
Science fair Keliya School,Vansda: વાંસદા તાલુકાના કેલિયા પ્રા.શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કેલિયા પ્રાથમિક શાળા ખાતે વાંસદા-ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું જેમાં ૮૪ જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી અને કેલિયા પ્રાથમિક શાળાના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ "ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને વાંસદા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કેલિયા પ્રાથમિક શાળામાં નવનિર્મિત મકાનનું લોકાર્પણ વાંસદા વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિબેન પટેલની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જુદી જુદી પ્રાથમિક શાળાના બાળકોએ 84 જેટલી કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી હતી. અધ્યક્ષપદેથી ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે શાળાના ઉત્સાહિત શિક્ષકો દ્વારા દર વર્ષે વૈજ્ઞાનિક પ્રદર્શન રાખવામાં આવે છે અને વિદ્યાર્થીઓ પણ ઉત્સાહથી કૃતિઓ તૈયાર કરે છે આ પ્રસંગે પ્રાંત અધિકારી પટેલ સાહેબે જણાવ્યું હતું કે ખૂબ સરસ આયોજન કર...
Comments
Post a Comment