સમાજના ઉદાત્ત યોગદાનથી ભવિષ્યનું નિર્માણ – રમેશભાઈ પટેલનું પ્રેરણાદાયી કાર્યો પરિચય: સમાજ માટે કોઇ એક વ્યક્તિનું યોગદાન કેવળ એક દાન નથી, પરંતુ તે સમાજની આગવી ઓળખ અને એકતા માટે મજબૂત પાયાનું કામ કરે છે. 'દિશા' ધોડિયા સમાજના શ્રી રમેશભાઈ પટેલે (મું.પો. પુના, જિ. સુરત) દ્વારા ભવિષ્યના નિર્માણ માટે ₹50,222નું દાન આપીને જે ઉદારવૃત્તિ દર્શાવી છે, તે આખા સમાજ માટે ગૌરવની ક્ષણ છે. આ યોગદાનનું મહત્વ: સમાજ ભવનનું નિર્માણ ફક્ત ઈમારતનું નિર્માણ નથી, તે તો આવનારી પેઢી માટે સાંસ્કૃતિક વારસો છે. ભવિષ્યમાં અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સામૂહિક સંમેલનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ યોજાશે, જે સમાજને આગળ વધવામાં મદદરૂપ બનશે. રમેશભાઈ પટેલ – ઉદારતા અને પ્રેરણાનું ઉદાહરણ: શ્રી રમેશભાઈ પટેલ, એક રિટાયર્ડ શિક્ષક હોવા છતાં, સમાજ માટે સતત પ્રેરણારૂપ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના દ્વારા આપવામાં આવેલ આ યોગદાન ફક્ત આર્થિક નહીં, પણ ભાવનાત્મક અને પ્રેરણાત્મક છે. આ દાન અને સમર્પણ દ્વારા સમસ્ત સમાજને પ્રગતિના પથ પર આગળ વધવા માટે પ્રોત્સાહન મળે છે. પારિવારિક સહયોગ અને સમર્પણ: રમેશભાઈ અને તેમના પરિવારના સહયોગથી આ કા...
આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું દક્ષિણ ગુજરાતમાં ઘોડિયા જ્ઞાતિની બોલીની એક વિશેષતા છે, અગાઉના વડીલો તેને વ્યવહારમાં ઉપયોગ કરતા હતા પણ આજનો યુવા વર્ગ તેનો ઉપયોગ કરતા શરમાય છે, પણ તેના કારણે જ ધોડિયા બોલી ધીરે ધીરે મૃતપાય તરફ જવાને આરે છે, ત્યારે તેને સાચવવા માટે કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા શિક્ષકે પ્રયાસ શરૂ કરી ધોડિયા બોલીમાં વાર્તા સંગ્રહ અને 100થી વધુ કહેવતોની એક બુક પ્રકાશિત કરી છે, જેથી આવનારી પેઢી તેને જોઈ સમજી અને બોલી શકે. કપરાડા તાલુકાના ધોધડકુંવા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ જેઓ 1986થી ઉદવાડા ગામે શિક્ષક તરીકેની કામગીરી શરૂ કરી હતી, તેઓ હાલ ધરમપુર ખાતે હાઈસ્કૂલમાં સેવા આપી રહ્યા છે, તેમણે આદિવાસી ધોડિયા બોલીને સાચવવા માટે અત્યાર સુધીમાં અનેક પુસ્તકો લખ્યા છે. જેમાં ભવોભવની પ્રીત,ઘાટધાટના પાણી,ચલ ઉડ પવન પાવડી,સાત ઠગનો એક ઠગ ,અણ નાઈ તે પોર, ચક્રમ ચાડીયો, તેઓ people's linguistics survey of india (PLSI) પ્રકાશનમાં ધોડિયા બોલી સાહિત્ય વ્યાકરણનું લેખન પણ કરેલું છે. NCRT ભોપાલ ખાતે (MLE) તાલીમ કાર્યક્રમમાં ધોડિયા બોલીના...
વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...
Comments
Post a Comment